ક્રિશ-ઇ સલાહકાર સેવા ખેડૂતોને એકર દીઠ ઉપજ અને આવક વધારવામાં અને વાવેતર ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે.

અમારી સલાહકાર ટીમના વિશેષજ્ઞો ખેડૂતો ને પાક ચક્રના દરેક તબક્કે ખેડુતોને ઉત્પાદક અવસરને જાણવામાં મદદ કરે છે. તેઓ ખેડૂતોને તેમના ખેતરમાં ઉપકરણો, તકનીક અને આધુનિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન કરે છે અને મદદ કરે છે.

ક્રિશ-ઇ ના 950 નિદર્શન પ્લોટોએ અમારી કુશળતા અને તક્નીકની સકારાત્મક અસર દર્શાવી:

અમારી સલાહ સેવામા અમે ભારતભરમા બે વર્ષ સુધી 950 ખેડૂતો સાથે કામ કર્યુ. અમે તકનીક પ્લોટ વિક્સાવ્યા જેમા ક્રિશ-ઇ ની ક્રુશળતા અને તક્નીકનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે બતાવ્યુ. ખેડૂતોએ જોયુ કે પોતાના ખેતરમા ક્રષ-ઇ ખેતી દ્વારા પ્રતી એકર આવક કૈ રીતે વધી શકે.

ક્રષ-ઇ સલાહકાર ટીમના એગ્રોનોમિસ્ટ અને રાજદૂતોની કુશળતા અને અનુભવનુ ઉપયોગ ખેડૂતો સહેલાઇથી કરી શકે છે:

એગ્રોનોસ્ટ વૈજ્ઞાનિક જ્ઞાન આપે છે અને રાજદૂતો પોતાનો ખેતીનો અનુભવ આપે છે. અને આમા તમારા અનુભવનુ મિશ્રણ કરી તેઓ તમારા ક્ષેત્રનુ મજ્બૂત પરીણામ આપી શકે છે. આ ખાસ એપ્લિકેશન

24 x 7 સમય માર્ગદર્શન આપે છે જેથી ખેડૂતો કુશળતા અને ઉકેલ સહેલાઇથી મેળવી શકે છે.

તમારા ખેતર પર ઇ-ક્રાંતિ માણવા માટે ક્રિશ-ઇ ની રીત મેળવો! અમારા સહાયક સાથે વાત કરવા અને બુકિંગ કરવા માટે ૧૮૦૦-૨૬૬-૧૫૫૫ પર કૉલ કરો.

રાઇઝવિથક્રિશ

ક્રિશ-ઇ લાખો ચેમ્પિયન ખેડૂતો બનાવવા માટે યુગની શરૂઆત કરે છે

ક્રિશ-ઇ સલાહકાર સેવાઓ અને વિશેષજ્ઞોએ, આપણી નિષ્ણાંત તકનીકો અને આધુનિક ઉકેલનો વધુ સારી રીતે ઉપયોગ કરવા માટે અમારા ચેમ્પિયન ખેડુતો સાથે તેમના ખેતર પર 2 વર્ષથી કામ કરી રહ્યા છે

કૈલાસ મોરે ગામ - પૂરી

જિલ્લો - ઔરંગાબાદ

કૈલાસ મોરે, ક્રિશ-ઇ-એ તકનીક પ્લોટ ખેડૂત, મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના છે. ૮ મહિના પહેલા, તેણે તેના પાક માટે ક્રિશ-ઇ શેરડીનું ડિજિટલ કેલેન્ડર અપનાવ્યું. ક્રિશ-ઇ સલાહકાર અને એપ સમર્થનની મદદથી વર્તમાનમાં તેના શેરડીના પાકના મૂળનો કદ ૭.૫ ઇંચ અને જાડાઈનો કદ ૩.૫ ઇંચ છે. આ ભૂમિની તૈયારી, બિયારણની પસંદગી, બિયારણનો ઉપચાર જેવી પાકની સારી વ્યવસ્થાપન પદ્ધતિઓ માટે જવાબદાર છે, અને આ રીતે પાછલા વર્ષની તુલનામાં વાવેતરના ૧૨% ખર્ચની બચત કરવામાં મદદ મળી છે.

અંકુશ દોડમીસે ગામ - સંદોબાચીવાડી બારામતી

જિલ્લો - પૂના

પૂનાના સંદોબાચીવાડી બારામતી ગામના વતની, શ્રી અંકુશ દોડમીસે એ એક પ્રગતિશીલ ખેડૂત છે જે સ્વયંના પાકની કાળજી રાખવા માટે ક્રિશ-ઇ શેરડીના ડિજિટલ સલાહકારનો ઉપયોગ કરે છે. આ સમયાંતરે અમારા હસ્તક્ષેપ જેમ કે ભૂમિની તૈયારી, બિયારણની પસંદગી, બિયારણનો ઉપચાર, હ્યુમિક + ફોસ્ફોરિક એસિડના માધ્યમે ચલાવવામાં આવ્યો છે. આ બધી તકનીકોની મદદથી, વર્તમાનમાં તેને સારી સંખ્યામાં ટિલર પ્રાપ્ત થાય છે, એટલે કે અંદાજે ૭-૮ જે બદલામાં તેને ૮૦% સુધી અંકુરણ પ્રદાન કરે છે.

દારા પ્રતાપ સિંહ રઘુબંશી ગામ - ગ્રેતીયા

જિલ્લો - છિંદવાડા

મધ્યપ્રદેશના છિંદવાડામાં ગ્રેતીયા તહસીલ-ચૌરાઈના શ્રી દારા પ્રતાપ સિંહ રઘુબંશી એક નવનિર્માણક્ષમ ખેડૂત છે જેમણે ક્રિશ-ઇ ટીમની મદદથી યાંત્રિકરણની પદ્ધતિ અપનાવી છે. વાયુયુક્ત પ્લાન્ટર્સના ઉપયોગથી બિયારણથી બિયારણ અને કતારથી કતારની વચ્ચે બહેતર વાવણીની ઊંડાઈ અને નિશ્ચિત અંતર વધારે છે. પરિણામ એક સમાન અંકુરણ છે અને વર્ણસંકર મકાઈના બિયારણના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે.

હેમંત વર્મા ગામ - હતોદા

જિલ્લો - છિંદવાડા

હેમંત વર્માને મળો. આ મધ્યપ્રદેશના હતોદાનો વિકાસલક્ષી ખેડૂત છે. ક્રિશ-ઇ ટીમની સહાય અને માર્ગદર્શનથી, તેણે ભૂમિની તૈયારી અને લણણી જેવી ક્રિશ-ઇ ક્રિશિ પ્રથાઓને અપનાવી છે. આ પ્રથાઓનો ઉપયોગ કરવાથી તેના પાકમાં સારી વૃદ્ધિ થઈ છે અને તે ગયા વર્ષની તુલનામાં વધુ પાકની અપેક્ષા રાખે છે.

મનોજભાઈ ગણેશભાઈ ભેસાડિયા ગામ - મોતી બનુગર

જિલ્લો - જામનગર

શરૂઆતમાં, શ્રી મનોજભાઈ ગણેશભાઈ ભેસાડિયા,એ પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતરોની ખેતી કરી, પૂર સિંચાઈ લાગુ કરી,અને રાસાયણિક ખાતરના ઇનપુટ જથ્થા પર વધુ નિયંત્રણ ન કર્યું,જેના પરિણામે તેમની ખેતીના ખર્ચમાં વધારો થયો. પરંતુ તેના અનુકૂલનશીલ વલણ અને નવી અને નવીનતાની રીતો શીખવાની ઇચ્છાથી વસ્તુઓ તેના પક્ષમાં આવી. ક્રિશ-ઇ ટીમની મદદ અને માર્ગદર્શન સાથે, તેમણે હવે એમઆઇએસ સ્થાપિત કરી છે અને ક્રિશ-ઇ સાથે મળીને કેવીકે ક્રોપ કેઅર ટીમ દ્વારા પ્રદાન કરાયેલી ક્રિશિવિજ્ઞાન સેવાઓના આધારે કપાસની ખેતી પણ કરી છે.

રમેશભાઈ ગોરધનભાઈ ચોવટીયા ગામ - મોટા થાવરીયા

જિલ્લો - જામનગર

પરંપરાગત પદ્ધતિઓ અને સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને, શ્રી રમેશભાઈ ગોરધનભાઈ ચોવાટીયાએ રાસાયણિક ખાતરોના ઇનપુટ જથ્થા પર વધુ નિયંત્રણ ન કર્યું જેના પરિણામે તેની ખેતી ખર્ચમાં વધારો થયો. ઉપરાંત, વરસાદ અને પાણીના સ્ત્રોતની અછતને કારણે કપાસનું ઉત્પાદન તેની અપેક્ષા કરતા ઓછું થઈ ગયું હતું. કપાસના પાકની કેવી રીતે વાવણી કરવી, રાસાયણિક અને જળ દ્રાવ્ય ખાતરની વિવિધ અનુપ્રયોગો અને ક્રિશ-ઇ ટીમની સમયાંતરે ખેતરોનું ભ્રમણ વિશે સ્પષ્ટ જ્ઞાન પ્રદાન કરીને, આજે તે તેની કપાસની ખેતી અને રોકાણ માટેના સ્વયંના વળતરથી ખૂબ ખુશ છે.

પેનુગંતી પાપારાઓ ગામ - યેનગંતી

જિલ્લો - પશ્ચિમ ગોદાવરી

આંધ્રપ્રદેશના યેન્દાગંતી ગામના શ્રી પેનુગંતી પાપરાવ પ્રગતિશીલ ખેડૂત છે જે ઉન્નત ક્રિશિ પદ્ધતિઓનું પાલન કરે છે. ક્રિશ-ઇ ટીમની મદદથી, તેમણે મેટ નર્સરીના અભ્યાસ સાથે તેમના ખેતરોમાં યાંત્રિક ચોખા રોપવાની પદ્ધતિઓ સફળતાપૂર્વક અપનાવી છે. પરિણામે - ઉત્પાદકતામાં ૩૫૨૫ કિગ્રા/એકરથી વધીને ૩૭૫૦ કિગ્રા/એકર સુધીની વૃદ્ધિ થઈ છે.